ગુજરાતમાં ભાજપમાં નવાજૂનીના એંધાણ : રંજનબેન બાદ ભીખાજી ઠાકોરે ચુંટણી લડવાનો કર્યો ઇનકાર
- 23 Mar, 2024
દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હોવાથી રાજકારણમાં ગરમાવો જૉવા મળી રહ્યો છે, રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ ઘોષિત કરીને તેમણે ટિકિટ આપવામાં વ્યસ્ત છે, એવામાં હાલ દેશમાં ગુજરાતનાં રાજકારણે રંગ જમાવ્યો છે, ગુજરાતની 26 બેઠકો માટે 7મી મેના દિવસે મતદાન થવાનું છે .
ત્યારે ગુજરાતની ભાજપમાં નવા જૂની થવાના એંધાણ જૉવા મળી રહ્યા છે, એક પછી એક ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી . ત્યારે હવે સાંબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં રાજકરાણમાં ગરમાવો આવ્યો છે. આજે સવારે વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી, ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી હતી. જો કે આજે બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભીખાજી ઠાકોરે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.
નોંધનીય છે કે ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે સાબરકાંઠામાં દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે, ભીખાજીના નામની જાહેરાતના થોડા કલાકોમાં જ તેમની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ હતો, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ